જૂના મોરબી રોડ પર પત્નીની નજર સામે અકસ્માતમાં કારખાનેદારનું મોત
દંપતી બાઇક લઇ કામ સબબ જતા હતા ત્યારે સામેથી આવતા બાઇકસવારે મારી ટક્કર: મનુષ્યવધની કલમ હેઠળ નોંધાતો ગુનો
શહેરના જુના મોરબી રોડ પંચવટી સોસાયટી નજીક સવિર્ર્સ રોડ પર બાઇક જઇ રહેલા દંપતીને બાઇકના ચાલકે ઉલાળતા દંપતી રસ્તા પર ફંગોળાયુ હતુ અને ત્યા ધટનાસ્થળે જ પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજયુ હતુ. આ અંગે બી ડિવિઝન પોલીસમાં અકસ્માત સર્જનાર બાઇકના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, મોરબી રોડ પર શ્રી વાટીકા સોસાયટીમાં રહેતા કારખાનેદાર રાજેશભાઇ નરોતમભાઇ જાજલ (ઉ.વ.66) અને તેમના પત્ની બાઇક પર જતા હતા ત્યારે રાત્રીના સમયે મોરબી રોડ પંચવટી સોસાયટી પાસે સવિર્ર્સ રોડ પર અન્ય બાઇકના ચાલકે ઠોકરે લેતા દંપતી રસ્તા પર પટકાયું હતુ.
રાજેશભાઇને શરીરે ગંભીર ઇજા થતા તેમનું ધટના સ્થળે જ મોત નિપજયુ હતું તેમજ તેમના પત્નીને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. રાજેશભાઇને સંતકબીર રોડ પર બંગડીનું કારખાનુ છે તેમજ પુત્ર બ્રિજેસ જાજલ વેરાવળની ક્ધયા તાલુકા શાળામાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરે છે. તેમની ફરિયાદ લઇ અકસ્માત સર્જનાર બાઇકના ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.