બેટા મેં દવા પી લીધી છે તેવું કહીને કારખાનેદારનો ગઢકા સ્થિત પોતાના કારખાના પાસે આપઘાત
રાજકોટમાં રહેતા અને ગઢકામાં કારખાનું ધરાવતા કારખાનેદારે આજથી પાંચ દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટની ખાનગી હોસ્પિટલમા સારવાર આજે મોત થયું હતું.બનાવની મળતી વિગતો મુજબ શહેરના શ્રદ્ધા પાર્ક 5 નહેરુનગર ની બાજુમાં આહીર ચોક વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ પરસોત્તમભાઈ સોજીત્રા નામના 54 વર્ષના કારખાનેદારે આર. કે. કોલેજ પાસે આવેલ તેમની ફાઉન્ડરી નજીક ગઈ તારીખ 1 ના રોજ ઝેરી દવા પી લીધી હતી.
દવા પીધા બાદ મેઘજીભાઈએ પોતાના પુત્ર રોનકને ફોન કર્યો હતો કે બેટા મેં દવા પી લીધી છે. આ સિવાય બીજું કશું બોલ્યા ન હતા. પિતાના આવા ફોનથી ગભરાયેલા પુત્ર રોનક એ પરિવારજનો સાથે ગઢકા પહોંચ્યા હતા. ત્યાંથી તેમના પિતા બેભાન હાલતમાં મળ્યા હતા.
આ સમયે તાત્કાલિક તેઓને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસની સારવાર દરમિયાન આજે તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ખાતેથી આજીડેમ પોલીસ ને જાણ કરાતા પોલીસે મૃતકની પીએમ વિધિ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક ને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમજ ત્રણ ભાઈઓને એક બહેનમાં નાના હતા. ત્રણ સંતાનોએ અચાનક પિતાની છત્રછાયા ગુમાવતા સોજીત્રા પરિવારમાં શોક છવાયો છે. બનાવનું કારણ જાણવા આજીડેમ પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.