For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેટા મેં દવા પી લીધી છે તેવું કહીને કારખાનેદારનો ગઢકા સ્થિત પોતાના કારખાના પાસે આપઘાત

06:19 PM Feb 06, 2024 IST | Bhumika
બેટા મેં દવા પી લીધી છે તેવું કહીને  કારખાનેદારનો ગઢકા સ્થિત પોતાના કારખાના પાસે આપઘાત

રાજકોટમાં રહેતા અને ગઢકામાં કારખાનું ધરાવતા કારખાનેદારે આજથી પાંચ દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટની ખાનગી હોસ્પિટલમા સારવાર આજે મોત થયું હતું.બનાવની મળતી વિગતો મુજબ શહેરના શ્રદ્ધા પાર્ક 5 નહેરુનગર ની બાજુમાં આહીર ચોક વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ પરસોત્તમભાઈ સોજીત્રા નામના 54 વર્ષના કારખાનેદારે આર. કે. કોલેજ પાસે આવેલ તેમની ફાઉન્ડરી નજીક ગઈ તારીખ 1 ના રોજ ઝેરી દવા પી લીધી હતી.

Advertisement

દવા પીધા બાદ મેઘજીભાઈએ પોતાના પુત્ર રોનકને ફોન કર્યો હતો કે બેટા મેં દવા પી લીધી છે. આ સિવાય બીજું કશું બોલ્યા ન હતા. પિતાના આવા ફોનથી ગભરાયેલા પુત્ર રોનક એ પરિવારજનો સાથે ગઢકા પહોંચ્યા હતા. ત્યાંથી તેમના પિતા બેભાન હાલતમાં મળ્યા હતા.

આ સમયે તાત્કાલિક તેઓને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસની સારવાર દરમિયાન આજે તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ખાતેથી આજીડેમ પોલીસ ને જાણ કરાતા પોલીસે મૃતકની પીએમ વિધિ કરી હતી.

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે મૃતક ને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમજ ત્રણ ભાઈઓને એક બહેનમાં નાના હતા. ત્રણ સંતાનોએ અચાનક પિતાની છત્રછાયા ગુમાવતા સોજીત્રા પરિવારમાં શોક છવાયો છે. બનાવનું કારણ જાણવા આજીડેમ પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement