રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં દેવામાં ડૂબેલા પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ

01:51 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીરામ ટાઉનશિપમાં રહેતા પ્રોઢે દેવું વધી જતા ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી શ્રીરામ ટાઉનશિપમાં રહેતા કમલેશભાઈ ઓધવજીભાઈ મકવાણા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા.

પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં કમલેશભાઈ મકવાણા બે ભાઈ એક બહેનમાં મોટા અને અપરિણીત છે. કમલેશભાઈ મકવાણા ફેબ્રિકેશનનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે અને દેણું વધી જતા કમલેશભાઈ મકવાણાએ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement