અણિયારા ગામે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકનું મોત
04:41 PM Jul 31, 2024 IST
|
admin
Advertisement
માતા-પિતા વાડીએ કામ કરી રહ્યા હતા: પરિવારમાં શોક છવાયો
Advertisement
આજીડેમ નજીક અણીયારા ગામે વાડીની કુંડીમા ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત નિપજયું હતુ શ્રમિક પરિવારના પુત્રનું મૃત્યુ નિપજતા અરેરાટી મચી ગઇ છે.
વધુ વિગતો અનુસાર, અણીયારા ગામે રહેતા શંભુભાઇ ભેડા નામના યુવાનનો બે વર્ષનો પુત્ર કાલુ વાડીએ રમતા-રમતા પાણીની કુંડીમાં ડૂબી જતા વાડીમાં કામ કરતા માતા-પિતાએ બાળકને હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો.
કાલુ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતોે તેમનો પરિવાર મુળ મધ્યપ્રદેશો અને અણીયારા ગામે રહી ખેતમજૂરી કરતો હતો. પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
Next Article
Advertisement