For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ ઉદ્યોગનગરના વેપારીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

12:35 PM Aug 03, 2024 IST | Bhumika
ગોંડલ ઉદ્યોગનગરના વેપારીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
Advertisement

ગોંડલનાં ઉદ્યોગનગરમાં રહેતા વેપારી યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પ્રાથમીક દ્રષ્ટિએ બનાવ શંકાસ્પદ લાગતા યુવાનનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ ફોરેન્સિકમાં મોકલાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઉદ્યોગનગરમાં રહેતા અને લાકડાની લાતી ધરાવતા પાર્થભાઇ જગદીશભાઈ માવાણી (ઉ.27)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો જીવન ટુંકાવ્યુ હતુ.

મૃતકનાં બન્ને હાથ અને ગળાનાં ભાગે પર ઇજાનાં નિશાન હોય મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અલબત્ત તપાસનીશ બી ડિવિઝન પોલીસનાં હિતેશભાઈ પરમારે ગળાફાંસાથી મોત થયાનુ જણાવ્યુ હતુ.

Advertisement

પાર્થભાઇ સંયુક્ત પરિવાર માં રહેતા હતા. સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યુ હતુ.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement