For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રણછોડદાસબાપુ હોસ્પિટલ દ્વારા ઓગસ્ટ માસમાં 96 મેગા નેત્રયજ્ઞનું આયોજન

04:07 PM Jul 31, 2024 IST | admin
રણછોડદાસબાપુ હોસ્પિટલ દ્વારા ઓગસ્ટ માસમાં 96 મેગા નેત્રયજ્ઞનું આયોજન

દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, દવા, ટીપાં, ચશ્મા તથા નેત્રમણી વિનામૂલ્યે બેસાડી અપાશે

Advertisement

પરમકૃપાળુ પરમાત્મા સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા આશિર્વાદથી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગુજરાતરાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે 96 સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું તા. 1ના રોજથી તા. 31-8 શનિવાર સુધી આયોજન કરેલ છે.
આ વિનામુલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે-તે કેમ્પ સ્થળેથી વિનામુલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ અવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે.

દર્દી ભગવાનને રહેવા, જમવા-ચા, પાણી નાસ્તો શુધ્ધ ઘીનો શીરો, દવા ટીંપા, ચશ્મા તતા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી આપવામાં આવે છે. તો સર્વે દર્દી ભગવાન તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement