ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતો

03:46 PM Nov 18, 2025 IST | admin
Advertisement

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 90 થી 95 જેટલી બિનવારસી (ખાલી પડેલી) સંપત્તિઓ ખાલી પડી હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે હવે આ મામલે કેન્દ્ર સરકાર તરફથી ગતિવિધિ શરૂૂ થઈ છે.

Advertisement

રાજકોટ જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ મુંબઈ ખાતેથી કેન્દ્રના એક અધિકારીની ટીમ આજે રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી આ તમામ ખાલી પડેલી બિનવારસી મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

આ બિનવારસી મિલકતોમાં એવી સંપત્તિઓનો સમાવેશ થાય છે, જેના કોઈ વારસદાર ન હોય અથવા તો અન્ય કારણોસર તે લાંબા સમયથી ખાલી પડી હોય.મુંબઈથી આવેલી ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં મિલકતનો સર્વે હાથ ધર્યા બાદ તેઓ ફરી મુંબઈ પરત ફરશે અને ત્યારબાદ આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ જ આશરે 90 થી 95 જેટલી આ મિલકતોના હરાજી કરવામાં આવશે

Tags :
gujaratgujarat newspropertiesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement