રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેયરના લોકદરબારમાં બે કલાકમાં 90 ફરિયાદો

05:25 PM Jul 24, 2024 IST | Bhumika
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 9થી 11 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત આજ તા.24/07/2024, બુધવારના રોજ સવારે 9થી 11:00 દરમ્યાન વોર્ડ નં.3માં માં સંતોષી પ્રા.શાળા નં.98, રેલનગર, 80 ફૂટ રોડ, રાજકોટખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.

આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી ઈલાબેન પડીયા, વોર્ડ નં.3ના કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા,શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઈ રાવલ, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂૂ, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, વોર્ડ એન્જીનિયર પાર્થ પરમાર, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, મેનેજર કૌશિક ઉનાવા, સિદ્ધાર્થ પંડ્યા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર નિલમ બેલીમ,અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.3ના પ્રભારી પૂર્વેશ ભટ્ટ, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી અભયભાઈ નાંઢા, ડો.હેમંત અમૃતિયાતથા વોર્ડ નં.3ના બહોળી સંખ્યામાં નાગરિકોઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsMayorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement