ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડેન્ગ્યુનો વિસ્ફોટ એક સાથે 9 અને ટાઇફોઈડના 6 કેસ નોંધાયા

04:24 PM Jul 29, 2024 IST | admin
Advertisement

મચ્છરજન્યની સાથે પાણીજન્ય રોગચાળામાં ઉછાળો, ઝાડા-ઊલટીના નવા 515 દર્દી સારવારમાં

Advertisement

શહેરમાં વાદળ છાયું વાતવરણ અને વારસાદી ઝાપટા સતત ચાલુ રહેતા ભેજનું પ્રમાણ વધવાની સાથે એડીસ મચ્છરો પણ બેફામ બન્યા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન એક સાથે 9 ડેન્ગ્યુના કેસ આવ્યા છે. તેમજ ડહોળુ પાણીના કારણે પાણી જન્ય રોગચાળો પણ વક્રયો હોય. તેમાં ટાઇફોટના નવા છ કેસની સાથો સાથ ગંદા પાણીના કારણે થતા ઝાળા-ઉલ્ટીના 515 કેસ નોંધતા આરોગ્ય વિભાગે ફોગિંગ તેમજ પોરાનાશક કામગીરી વધુ ઝડપી બનાવી લોકો માટે રોગચાળાથી બચાવ માટે જરૂરી સૂચનાઓ આપી છે.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 446 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 391 અને કોર્મશીયલ 164 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂા.28,200/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે. (1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ. (2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. (3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. (4) બિનજરૂૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.

(5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. (6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ. (7) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.સહિતની સૂચના આપવામાં આવી છે.

Tags :
dengyugujaratgujarat newsrajkotrajkot newstyphoid
Advertisement
Next Article
Advertisement