For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંદકી ફેલાવતી પાનની 8 દુકાનો સીલ

05:25 PM Jul 02, 2024 IST | admin
ગંદકી ફેલાવતી પાનની 8 દુકાનો સીલ
Advertisement

ગંદકી ન ફેલાવવાની અગાઉ નોટિસ છતાં ગંધારા દુકાનદારો ન સુધર્યા

શહેરમાં મનપાની સ્વચ્છતા જાળવવાની અનેક વખતની સુચના નોટિસ પછી પણ ગંદકી ફેલાવનાર ગંધારાઓ હમ નહીં સુધરેગે જેવી કહેવત સાબિત કરી રહ્યાં છે. આવા સ્વભાવના દુકાનદારો સામે હવે મનપાએ પણ આક્રમક મુડ અપનાવી સખત કાર્યવ્હી કરવાનું શરૂ કર્યું છે. આજે મનપાની ટીમે 150 ફુટ રીંગ રોડ પર આવેલી અને જાહેરમાં ગંદકી ફેલાવતી 8 દુકાનો સીલ કરી દેતા દઉકાનદારોમાં દોડધામ થઈ પડી છે.

Advertisement

મનપાના પર્યાવરણ ઈજનેરના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં ઉમીયા ચોક, 150 ફિટ રીંગ રોડ પર આવેલ ખોડલ પાન, માધવ ડીલકસ પાન, પટેલ પાન, પ્યાસા પાન, શ્રી ઉમિયાજી પાન, આધ્યશક્તિ હોટલ, બજરંગ પાન અને ક્રિષ્ના પાન એમ, કુલ 8 શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.01/07/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.01/07/2024 ના રોજ સાંજે 8 શોપના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરી દેવાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement