For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

24 કલાકમાં રાજકોટ સિંચાઇ હસ્તકના 72 ડેમ ઓવરફ્લો

11:20 AM Aug 29, 2024 IST | Bhumika
24 કલાકમાં રાજકોટ સિંચાઇ હસ્તકના 72 ડેમ ઓવરફ્લો
Advertisement

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા 1 દિવસમાં કુદરતે હલ કરી નાખી, ભાદર- ફોફળ, મોજ, વેણુ, મોરબીના મચ્છુ-1, મચ્છુ-2, ઊંડ-1, સહિતના 23 ડેમોમાંથી હજારો કયુસેક પાણીની જાવક ચાલુ

Advertisement

કુદરત જયારે મહેર કરે ત્યારે સચરાચર જગતને ફાયદો કરાવે છે. છેલ્લા 48 થી 72 કલાકમાં સૌરાષ્ટ્રમાં ધીંગા વરસાદથી રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના 72 ડેમ ઓવરફલો થઇ ગયા છે. આ સાથે સૌરાષ્ટ્ર ભરને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઇ છ.ે

ફર્લ્ડ ઇન્ફોરમેશન સેલની યાદી પ્રમાણે રાજકોટ જિલ્લા ના 24 ડેમ ઓવરફલો થઇ ગયા છે. જેમા સૌથી મોટા ભાદર ડેમની જળસપાટીમાં ગત 24 કલાકમાં 10.37 ફુટનો વધારો થતા ડેમના 19 દરવાજા 1.8 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. મોજ ડેમના 17 દરવાજા 1.5 મીટર, આજી-2ના 5 દરવાજા 1.5 મીટર આજી-3ના 8 દરવાજા 2.4 મીટર, સુરવોના 3 દરવાજા 0.45 મીટર, ન્યારી-1ના બે દરવાજા 0.1મીટર, ન્યારી-2ના 5 દરવાજા 1.2 મીટર, ખોળાપીપરના એક દરવાજો 0.6મીટર, છાપરવાડી-2ના 3દરવાજા 1.2મીટર, ભાદર-2ના 17 દરવાજા 1.2મીટર ખોલવામાં આવ્યા હતા આ ઉપરાત દરવાજા વગર ના ફોફળ 1.8 મીટરથી, આજી-1 0.4મીટર થી, સોડવદર 0.55મીટર થી, ગોંડલી 0.05મીટરથી: વાંછપરી, વેરી, ફાડદંગ બેટી લાલપરી, છાપરવાડી-1 ઇશ્ર્વરીયા વગેરે અડધા મીટરથી ઓવરફલો થયા છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 અને મચ્છુ-2,મચ્છુ-3 ઓવરફલો થયા હતા. મચ્છુ-2ના 16 દરવાજા 2.4 મીટર અને મચ્છુ-3ના 14 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા અન્ય ડેમ બ્રહ્મણી-2, બંગાવડી, ધોડાધ્રોઇ, ડેમી-1 વગેરે ઓવરફલો થયા હતા.

જામનગર જિલ્લા સસોઇ, પન્ના, ફલઝર-1, ફલઝર-2, સપડા, વીજરખી,ફોફળ-2, ડાઇમીનસર, ઉંડ-3, આજી-4, રંગમતી, ઉંડ-2 અને ઉમીયાસાગર સહિતના 19 ડેમ ઓવરફલો થયા હતા. દ્વારકા જિલ્લા ના તમામ 11 ડેમ ઓવરફલો થયા હતા. જેમાં ઘી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, શેઢા ભાડથરી, વેરાડી-1, સીંઘાણી, કાબરકા, વેરાડી-2, મીણસાર (વાનાવડ) વગેરે ડેમ ઓવરફલો થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ના 7 ડેમ ઓવરફલો થયા હતા. જેમા વઢવાણ ભોગાવો-1, વઢવાણ ભોગાવો-2, લીંબડી ભોગાવો-1, ફલકુ, વાંસલ, મોરસલ, સબુરી ડેમનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના 72 ડેમ ઓવરફલો થયા છે તેમજ 90% ભરાય ગયેલા ડેમોમાં પાણીની ધીગીં આવક ચાલુ હોય તેમજ હજુ 2 દિવસ વરસાદની આગાહી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના તમમા જળાશયો છલો છલ થઇ જવાની શકયતા સિંચાઇ વિગાય દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement