For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટાઉન હોલ સર્કલના કોમ્પ્લેક્ષની 7 દુકાન સીલ

11:48 AM Oct 19, 2024 IST | admin
ટાઉન હોલ સર્કલના કોમ્પ્લેક્ષની 7 દુકાન સીલ

દુકાનોના ગેરકાયદે બાંધકામની ચર્ચાઓ બાદ ટાઉન પ્લાનિંગ શાખાની ઉંઘ ઉડી

Advertisement

જામનગર શહેરમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ હજારો ગેરકાયદે બાંધકામો ખડકાયા છે. લાંબા સમયથી શહેરમાં ગેરકાયદે બાંધકામોનું પ્રમાણ વધી રહ્યું હોવા છતાં, ટીપી વિભાગે આ બાબતે કોઈ ગંભીર પગલાં લીધા ન હતા. પરંતુ, હાલમાં ટાઉન હોલ સર્કલ પાસે બની રહેલા એક કોમ્પ્લેક્સની સાત દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતાં આ મામલે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શહેરભરમા અનેક ચર્ચાઓના અંતે આ ઘટનાએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું વ્યાપક છે. લાંબા સમયથી આ વિભાગના અધિકારીઓ ગેરકાયદે બાંધકામોના માફિયાઓ સાથે મળીને શહેરનું આયોજન બગાડી રહ્યા છે. જો કે, આ બાબતે અનેક વિરોધો અને વિવાદો ઉભા થયા હતા, પરંતુ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. જાણે કે પસૌ ચૂહે ખાકે બિલ્લી હજ કો ચાલીથની કહેવત પ્રમાણે હાલમાં જ, ટાઉન પ્લાનિંગ વિભાગે આ કાર્યવાહીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂૂ થઈ છે. એક તરફ જ્યાં આ કાર્યવાહીને ન્યાયની જીત ગણવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે આટલા લાંબા સમય સુધી આ બાંધકામો કેવી રીતે ચાલુ રહ્યા? શું આ કાર્યવાહી માત્ર એક દેખાડાનું પ્રદર્શન છે કે પછી તેના પાછળ કોઈ ગંભીર ઈરાદો છે?

Advertisement

જામનગર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો સામે આખરે ટાઉન પ્લાનિંગ વિભાગે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગના નિયમોના ઉલ્લંઘન કરીને અનેક બાંધકામો થઈ રહ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ બાબતે અનેક ફરિયાદો પણ ઉઠી હતી. જો કે, લાંબા સમય સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

આખરે, ટાઉન પ્લાનિંગ વિભાગે આ બાબતે ગંભીરતાથી લઈને કાર્યવાહી શરૂૂ કરી છે. તાજેતરમાં જ, શહેરના ટાઉનહોલ સર્કલ નજીક બની રહેલા એક કોમ્પ્લેક્સમાં સાત દુકાનોને ગેરકાયદે બાંધકામ હોવાના કારણે સીલ મારવામાં આવી છે. આ કોમ્પ્લેક્સનું બાંધકામ નિયત મંજૂરી વિરુદ્ધ થઈ રહ્યું હતું. ટાઉન પ્લાનિંગ વિભાગની એક ટુકડીએ સ્થળ પર પહોંચીને આ સાત દુકાનોને સીલ મારી દીધી હતી. આ કાર્યવાહીથી બાંધકામ કરનારાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

આ ઘટનાએ શહેરના લોકોમાં એક સંદેશો આપ્યો છે કે, ટાઉન પ્લાનિંગ વિભાગ હવે ગેરકાયદે બાંધકામો સામે સહન કરશે નહીં. આશા છે કે, આવી કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે બાંધકામો અટકશે અને શહેરનું આયોજન વધુ સારી રીતે થઈ શકશે. આ સાથે જ, ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ કાર્યવાહી કરવી જોઈએ જેથી શહેરનું સૌંદર્ય જળવાઈ રહે અને નાગરિકોને સુવિધાઓ મળી રહે.

Advertisement
Tags :
Advertisement
Advertisement