For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા, ચોટીલા, વડનગર, કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશે

04:29 PM May 20, 2025 IST | Bhumika
દ્વારકા  ચોટીલા  વડનગર  કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશે

લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બની રહ્યું છે

Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મ્યુઝિયમ કે વિવિધ થીમ સાથેના સંગ્રહાલયમાં નાગરિકોની વધતી રૂૂચિને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં નવા સાત મ્યુઝિયમ બનાવશે. જેમાં ચાર કેવડિયા-એકતાનગરમાં તેમજ વડનગર, દ્વારકા, ચોટિલામાં પણ મ્યુઝિયમ બનાવવામાં આવશે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોથલ ખાતે મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પણ મ્યુઝિયમના સ્વરૂૂપમાં બનાવાઇ રહ્યું છે.

તાજેતરમાં ગુજરાતના વડનગર ખાતે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરાઇ છે. વડનગરના મહત્વને ધ્યાનમાં રાખતા વધુ તાના-રીરી મ્યુઝિક મ્યુઝિયમ બનાવાશે. જેમાં આ પુરાતન શહેરની સંગીત કળા-ગાયનની ઝલક મળશે.

Advertisement

એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર પટેલની પ્રતિમા છે. સરદાર પટેલે દેશના રજવાડાઓને એક કર્યા હતા. તેમાં રજવાડાઓનું પ્રદાન પણ ઉજાગર કરવા મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા બનાવાશે. તે સાથે આદિવાસીના વારસાને લગતા નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ, ગુજરાત વંદના મ્યુઝિયમ અને વીર બાળક ઉદ્યાન બનાવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરીમાં દ્વારકા સંગ્રહાલય બનાવાશે. તો ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ગણાતા શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બનશે.

તે ઉપરાંત લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં પહેલાં કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત મેમોરિયલ થીમ પાર્ક, મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement