રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માતા સાથે મોસાળમાં સાતમ-આઠમ કરવા આવેલા 7 માસના માસૂમનું આંચકી ઉપડતાં મોત

11:45 AM Aug 12, 2024 IST | admin
oplus_2097152
Advertisement

જામકંડોરણાના બોરિયા ગામની ઘટના : એકના એક પુત્રનાં મોતથી પરિવાર શોકમાં ગરકાવ

Advertisement

સુરતમાં રહેતી પરિણીતા પોતાના સાત માસના માસુમ બાળકને લઈને જામકંડોરણાના બોરીયા ગામે માવતરમાં સાતમ આઠમનો તહેવાર કરવા આવી હતી. મોસાળમાં માતા સાથે આવેલા સાત માસના માસુમ બાળકનું આચકીની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરતના સિમાણી ગામે કુબેરનગર સોસાયટીમાં રહેતી વૈભવીબેન વિનોદભાઈ વોરા નામની પરિણીતા પોતાના સાત માસના પુત્ર સહજ વોરા સાથે જામકંડોરણાના બોરીયા ગામે રહેતા માવતરના ઘરે સાતમ આઠમનો તહેવાર કરવા આવી હતી તે દરમિયાન માસુમ સહજ વોરાને આંચકી ઉપડતાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક સુરજ વોરા તેના માતા પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને તેનું આચકીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
boriyadeathgujaratgujarat newsjamkandornajamkandornannewsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement