રેલનગરના ક્રિષ્ના પાર્કના બંધ મકાનમાંથી 64 હજારની તસ્કરી
વૃદ્ધ દંપતી અમદાવાદ દીકરાના ઘરે ગયા હતા
શહેરમાં ચોરી-લૂ:ટના બનાવો વધવા પામ્યા છે. ત્યારે રેલનગરનાં ક્રિષ્ના પાર્કમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા મકાનમાંથી દાગીના અને રોકડ મળી રૂા.64 હજાર મતાની ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાઇ હતી.
બનાવતી વધુ વિગતો અનુસાર રેલનગર મેઇન રોડ ક્રિષ્ના પાર્ક શેરી.રમાં રહેતા વિજયભાઇ દતુરાવ દેવરૂખકર (ઉ.વ.62)એ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ નિવૃત જીવન ગાળે છે.
તેઓ ગઇ તા.17/07/ના રોજ બપોરના સમયે અમદાવાદ તેમના દીકરા અક્ષયના ઘરે કામ ચાલુ હતુ તેઓ અમદાવાદ ગયા હતા ત્યારબાદ તા.30/7ના રોજ રાત્રીના નવ વાગ્યાની આસપાસ પોતે અમદાવાદ હતા ત્યારે પાડોશી યોગીભાઇનો કોલ આવ્યો હતો અને તેમણે કહ્યુ કે તમારા ઘરના તાળા તુટેલા છે ત્યારબાદ વીજયભાઇએ ઘરે પહોંચી જોતા રોકડા રૂા.59 હજાર, ચાંદીના સાંકળા રૂા.5 હજાર એમ મળી કુલ 64 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.