માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગેરેજ સંચાલક સહિત 3 ઉપર 6 શખ્સનો હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે હોળી ના તહેવાર દરમિયાન થમ્સઅપની બોટલમાંથી પ્રવાહી ઉડાડવાના પ્રશ્ને તકરાર થઈ હતી, અને એક ગેરેજ સંચાલક સહિત ત્રણ વ્યક્તિ પર 6 શખ્સો હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા પ્રકાશભાઈ મોહનભાઈ ભાલોડીયાએ પોતાના માથા પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ અન્ય બે વ્યક્તિને પણ માર મારવા અંગે સ્થાનિક 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને માથામાં ચાર ટાંકા લેવા પડ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં વિજયનગરમાં રહેતા અને ગેરેજ ચલાવતા પ્રકાશભાઈ મોહનભાઈ ભાલોડીયા કે જેઓ તથા તેની સાથેના અન્ય બે વ્યક્તિ મિલનભાઈ ખૂંટી તથા ચિરાગભાઈ કે જે ત્રણેય પર ધોકા લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મુન્નાભાઈ બુધાભાઈ મેથાણીયા, પ્રકાશ કોળી, મયુર દીપાભાઇ કોળી, સંજય દિનેશભાઈ કુડેચા, અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર હોળીની રાત્રે આરોપીઓને બોટલમાં ભરેલું પ્રવાહી ઉડાડવાના પ્રશ્ને ફરિયાદી સાથે તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.