જમીન પ્રકરણ મુદ્દે લાલપુરના હરિપર નજીક એડવોકેટ પર 5 શખ્સનો હુમલો
- ધોકા-પાઇપથી ઘવાયેલા એડવોકેટ સારવાર હેઠળ
જામનગર જિલ્લાના લાલપુર પંથકના વતની એક એડવોકેટ પર ગઈકાલે સાંજે હુમલો કરાયો છે. ચારથી પાંચ જેટલા શખ્સો ધોકા પાઇપ વડે એડવોકેટ તૂટી પરથી પડ્યા હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. જે મામલે પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર ના એડવોકેટ અનિલભાઈ પણસારા કે જેઓની હરીપર નજીક જમીન આવેલી છે, જે જમીનના પ્રશ્ને ચારથી પાંચ જેટલા વ્યક્તિ સાથે વાંધો ચાલી રહ્યો છે, અને તે જમીનના વેચાણ સંબંધે હુમલાખોરોએ એડવોકેટ સાથે તકરાર કરી હતી.
ગઈકાલે એડવોકેટ હરીપર ગામે પોતાની જમીન પાસે કાર લઈને પહોંચ્યા હતા, જે દરમિયાન અન્ય વાહનોમાં આવેલા ચારથી પાંચ જેટલા વ્યક્તિ એ આ જમીન તમારા પિતાએ અમને આપી દીધી છે, તેમ કહી તકરાર કરી હતી, અને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ધોકા-પાઇપ વડે હુમલો કરી દીધો હતો.જેથી એડવોકેટને ગઈકાલે મોડી સાંજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં લાલપુરની પોલીસ ટિમ ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગઈ છે, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે. એડવોકેટ પરના હુમલા ના બનાવને લઈને વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.