બાકીદારોની વધુ 5 મિલકત સીલ, 8ને જપ્તીની નોટિસ
વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ પાંચ મિલ્કત સીલ કરી 8 આસામીઓને જપ્તીની નોટીસ આપી સ્થળ ઉપર રૂા. 22.71 લાખની વેરાવસુલા કરી હતી. વેરાવિભાગ દ્વારા આજે 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.51,570/- જામનગર મેઇન રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકાવરી રૂૂ.1.09 લાખ. પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.28,300/- 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટેસ સામે રીકવરી રૂૂ.49,750/- બ્રાહ્મમનિયાપરા મા 1-યુનિટને નોટીસ આપેલ. યાજ્ઞિક રોડ પર આવેલ 3-યુનિટ સીલ કરેલ. કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.10.16 લાખ. નાના મોવા મેઇન રોડ પર આવેલ 1-યનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.9.95 લાખ. 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ. સોરઠીયાવાડી ચોકમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.07 લાખ. આજ રોજ બપોરે 1:00 કલાક સુધી માં 5 -મિલ્કતોને સીલ કરેલ તથા 8 - મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂૂા. 22.71 લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.