For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરા વિભાગ દ્વારા 42.23 લાખની વસૂલાત, બાકીદારોની વધુ 21 મિલકતો સીલ કરી

05:35 PM Feb 16, 2024 IST | Bhumika
વેરા વિભાગ દ્વારા 42 23 લાખની વસૂલાત  બાકીદારોની વધુ 21 મિલકતો સીલ કરી

મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ રેકવરી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વધુ 21 મિલ્કત સીલ કરી 20 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી બે નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.42.23 લાખની વેરા વસૂલાત કરી હતી.

Advertisement

વેરા વિભાગ દ્વારા જામનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂૂ.1.70 લાખ, ન્યુશક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રૂૂ.50,000, ભાવનગર મેઇન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષ ફર્સ્ટે ફ્લોર શોપ નં-3 ને સીલ કરેલ., ભાવનગર મેઇન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષ ફર્સ્ટે ફ્લોર શોપ નં-6 ને સીલ કરેલ., ભાવનગર મેઇન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષ ફર્સ્ટે ફ્લોર શોપ નં-7 ને સીલ કરેલ., ભાવનગર મેઇન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષ ફર્સ્ટે ફ્લોર શોપ નં-11 ને સીલ કરેલ., સોનીબજારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.12 લાખ., સુભાષ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.28 લાખ., ગુર્જરી બજાર મેઇન રોડ પર આવેલ 1- યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.30 લાખ., સોની બજાર મેઇન રોડ પર 2-નળ કનેક્શન ક્પાત., સોનીબજારમાં 2- યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.39 લાખ., કેનાલ રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.9.50 લાખ., કેનાલ રોડ પર આવેલ જય રાજશ્રી કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફ્લોર શોપ નં-2ને સીલ કરેલ હતી.

વેરા વિભાગ દ્વારા કેનાલ રોડ પર આવેલ જય રાજશ્રી કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફ્લોર શોપ નં-4 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.76 લાખ., રામનાથ પરામાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.07 લાખ., ગુરુક્રુપામાં આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.41 લાખ., 150 ફુટ રીંગ રોડ પર આવેલ કુબેર કષ્ટ ભજન કોમ્પ્લેક્ષમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા ચેક આપેલ., કાલાવાડ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.70 લાખ કરી હતી.

Advertisement

આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement