For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ

01:02 PM Feb 14, 2024 IST | Bhumika
રાજકોટમાં કાલથી ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ

ઈજાઓના કારણે અનુભવીઓની ખોટ, જાડેજાનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થવાની શક્યતા

Advertisement

સરફરાઝખાન અને ધ્રુવ જુરેલને મળી શકે છે ટેસ્ટ કેપ, રોહિત શર્મા ઉપર સૌની નજર

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલ તા. 15થી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થનાર છે. તે પૂર્વે ખંઢેરી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બીજી તરફ ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ઘણા પ્લેયર્સ ઈજાના કારણે અનફીટ હોય નવોદિતોને તક મળવાની શક્યતા છે. ભારતીય ટીમમાં એન્ટ્રી માટે લાંબા સમયથી રાહ જોતા સરફરાજ અને ધ્રૃવ જુરેલને તક મળી શકે છે.
ભારતીય ટીમમાં કોહલી પહેલેથી જ નથી જ્યારે કે.એલ. રાહુલ અને જાડેજા ઈન્જર્ડ છે પરંતુ જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હોવાથી હોમગ્રાઉન્ડ ઉપર તે વાપસી કરે તેવી પુરી શક્યતા છે. જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં આવે તો અક્ષર પટેલ અથવા કુલદીપ યાદવ બહાર થઈ શકે છે.

Advertisement

કોહલી અને રાહુલની ગેરહાજરીમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમનગીલ, કે.એસ. ભરત, રજત પાટીદાર જેવા બેટ્સમેનો ઉપર જવાબદારી વધી ગઈ છે. રોહિત શર્મા બે ટેસ્ટમાં ફોર્મમમાં દેખાયેલ નથી. જયસ્વાલ તેની લયમાં જોવા મળે છે. જ્યારે ગીલે સદી ફટકારી ફર્મ પાછુ મેળવ્યું છે જો કે, બોલર્સ તેની જવાબદારી નિભાવી રહ્યા છે.

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચમાં જીત મેળવીને સમાનતા હાંસલ કરનાર ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. કેપ્ટન રોહિત શર્મામાં અનુભવી ખેલાડીઓનો અભાવ છે અને તેને પ્લેઈંગ ઈલેવનમાં યુવા અને ઓછા પ્રતિસ્પર્ધી બેટ્સમેનો સાથે જવું પડશે. ઈજાઓ અને ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓને કારણે ભારતની સમસ્યાઓ સર્જાઈ છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાવાની છે. આ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનને લઈને મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. શ્રેણીમાં, તેમની સામે ઇંગ્લેન્ડની શક્તિશાળી ટીમ છે અને તેમની સામે લડવા માટે તેમને બિનઅનુભવી ટીમને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. રોહિત શર્માની સમસ્યા એ છે કે આ શ્રેણી પહેલા ઘણા અનુભવી ખેલાડીઓ ખરાબ ફોર્મના કારણે બહાર થઈ ગયા હતા અથવા ઈજાના કારણે તેમને બહાર બેસવાની ફરજ પડી હતી.

પસંદગીકારોએ એવા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે જેઓ સતત તકો આપ્યા બાદ પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદથી ચાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. અનુભવી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને પસંદગીકારોએ સતત રન ન બનાવવા બદલ બહાર કરી દીધા હતા. શ્રેયસ અય્યર વિશે કંઈ સ્પષ્ટ નથી પરંતુ માહિતી તેના ખરાબ ફોર્મને ટીમમાંથી બહાર રાખવા પાછળનું કારણ જણાવે છે. ઇશાન કિશન સતત ટીમ સાથે કામ કરી રહ્યો હતો પરંતુ પસંદગીકારોએ તેને પણ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઈજાના કારણે ભારતને મોટો ફટકો પડ્યો છે. પસંદગીકારોએ આ બંનેને શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ટીમમાં સ્થાન આપ્યું હતું પરંતુ તેમની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઋષભ પંત કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થવાને કારણે છેલ્લા એક વર્ષથી ટીમની બહાર છે.

ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વિશે દરેક જણ જાણે છે કે તે અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો નથી. પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર રહ્યા બાદ તેણે પસંદગીકારોને જાણ કરી હતી કે તે છેલ્લી ત્રણ મેચોમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement