22300 ગુજરાતીઓ વિદેશી બન્યા
પાસપોર્ટ સરેન્ડર કરવામાં ત્રણ વર્ષમાં અમદાવાદીઓની સંખ્યા બમણી થઇ
વિદેશી નાગરિકતા મેળવવામાં વધારા સાથે, છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં સ્થાયી થયેલા અમદાવાસીઓ દ્વારા ભારતીય પાસપોર્ટના સરેન્ડરની સંખ્યા બમણી થઈ ગઈ છે અને 22300 ગુજરાતીઓએ પાસપોર્ટ સરેન્ડર કરાવ્યા છે.
અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (અછઙઘ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપિયન દેશો, યુએસ અને કેનેડામાં સ્થાયી થવા માટે ગુજરાતીઓમાં ભારે ધસારો જોવા મળ્યો છે. ઘણા આમદાવાદીઓ વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા માટે લાખોનો ખર્ચ કરે છે. તેમાંથી ઘણાને અમુક સમય પછી વિદેશી નાગરિકતા મળે છે. વિદેશમાં સ્થાયી થવા માંગતા લગભગ 58 ટકા લોકો યુએસ અને કેનેડાની નાગરિકતા મેળવે છે.
નિયમો મુજબ, જ્યારે પણ કોઈ ભારતીયને વિદેશની નાગરિકતા મળે છે, ત્યારે તેણે પપાસપોર્ટ એક્ટ-1967થ મુજબ ભારતીય વાણિજ્ય દૂતાવાસ અથવા પાસપોર્ટ ઑફિસમાં ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે.
અમદાવાદના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી અભિજિત શુક્લાના જણાવ્યા અનુસાર, 2021માં અમદાવાદના 217 નાગરિકોએ વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. 2022માં આ સંખ્યા વધીને 241 અને 2023માં 485 થઈ ગઈ.
તેમણે ઉમેર્યું, વિદેશી નાગરિકતા મેળવવા ઉપરાંત, લોકો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તેવા કિસ્સામાં પાસપોર્ટ સરેન્ડર કરવાનું વલણ ધરાવે છે, જો કે આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ છે. જે નાગરિક ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરે છે, તેણે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરીને સરન્ડર સર્ટિફિકેટ મેળવવું પડશે.ઉપલબ્ધ ડેટા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં દિલ્હી આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ પંજાબ છે. વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ પાસપોર્ટ સરેન્ડર કરવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે.છેલ્લા ચાર વર્ષમાં દિલ્હીના 60414, પંજાબના 28117 અને ગુજરાતના 22300 નાગરિકોએ વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.