For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૃષિ, સહકાર, ખેડૂત માટે 22,194 કરોડની જોગવાઇ

05:47 PM Feb 02, 2024 IST | Bhumika
કૃષિ  સહકાર  ખેડૂત માટે 22 194 કરોડની જોગવાઇ

મોરબી-કચ્છમાં નવી કૃષિ યુનિવર્સિટી અને ખેડબ્રહ્મામાં કૃષિ ઇજનેરી યુનિવર્સિટીનું બનાવાશે

Advertisement

બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડ ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 350 કરોડ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડ, એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 200 કરોડ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સીડ રીપ્લેસમેન્ટ રેટ (જછછ)માં વધારો કરવા માટે 80 કરોડ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડની જોગવાઈ. મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 160 કરોડ તથા માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 65 કરોડની જોગવાઈ. ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડ રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડ બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એક્સલેન્સ ઊભા કરવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડ અને ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે 110 કરોડ તથા ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા 62 કરોડ અને ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા 54 કરોડની જોગવાઈ. સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડ અને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોને બેન્કો મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ છે જેમાં પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડની અને ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement