રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આરોગ્ય માટે 20,100 કરોડની જોગવાઇ, બાવળા અને કામરેજ નજીક 300 બેડની હોસ્પિટલ બનાવાશે

05:39 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

બજેટમાં આરોગ્યના બજેટમાં ધરખમ 32.40 ટકાના વધારા સાથે રૂા.20100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 108 સેવા અંતર્ગત 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવાની અને 300 બેડની નવી બે હોસ્પિટલ બનાવવાનો પણ સમાવેશ થાય છે.લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના રૂૂ. 15,181 કરોડના બજેટમાં 32.40%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે રૂૂ. 20,100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ફાળવણી કરવમા આવી છે તો બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે રૂૂ. 3110 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૂૂ. 2308 કરોડની ૠ.ખ.ઊ.છ.જ. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રૂૂ. 4200 કરોડના ખર્ચે શરૂૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૂૂ. 350 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૂૂ. 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે રૂૂ. 76 કરોડની તથા યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૂૂ. 60 કરોડની માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3 હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે રૂૂ. 53 કરોડની જોગવાઈ છે.

ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે રૂૂ. 40 કરોડની અને અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે રૂૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે રૂૂ. 10 કરોડની જોગવાઇ. આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલરૂૂ. 482 કરોડની જોગવાઇ.કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ 15 લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રૂૂ.221 કરોડની અને ખોરાક અને ઔષધ નિયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલરૂૂ. 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Tags :
gujaratGUJARAT BUDGET 2024gujarat news
Advertisement
Next Article
Advertisement