રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 9 સહિત રાજ્યમાં ચાંદીપુરાના 162 કેસ, મૃત્યુઆંક 73

12:34 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહીત ગુજરાતમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ કેસ વધી રહ્યા છે. રાજકોટની ઝનાના હોસ્પીટલમાં ચાંદીપુરાના કુલ 9 દર્દીઓ દાખલ છે. જેમાં 1નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે 6 નેગેટીવ અને બેના રીપોર્ટ હજુ આવવાના બાકી છે. રાજકોટની ઝનાના હોસ્પીટલમાં દાખલ ચાંદીપુરાનું 3 વર્ષનું બાયક સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 162 કેસો નોંધાયા છે. જેમાં 21 જિલ્લામાં ચાંદીપુરાના 60 પોઝેટીવ કેસ નોંધાયા છે. તેમાં કુલ મૃત્યુઆંક 73 ઉપર પહોંચ્યો છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-162 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-06, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-08, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટા ઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01, અમરેલી-01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળેલ છે. આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-03, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 03, વડોદરા-02, બનાસકાંઠા-02, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-60 કેસ પોઝિટિવ મળેલ છે. તેમજ અત્યાર સુધી કુુલ 73 દર્દીના મોત થયા છે. જેમાં સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા- 05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-04, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન- 01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-73 દર્દીઓ મૃત્યુ પામેલ છે.આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

Tags :
Chandipura caseChandipura virusgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement