ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસ દુર્ધટનાના મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2-2 લાખની સહાય

05:45 PM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર, મનપાની જાહેરાત

Advertisement

રાજકોટમાં આજે સવારે 09:51 વાગ્યે ઇન્દીરા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર GJ-03 BZ 0048 ’ થી જે દુર્ઘટના બની છે તેમાં ચાર લોકોના મૃત્યુ નીપજેલ છે, જેમાં મૃતકોમાં (1) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ-35, (2) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-40, (3) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-25, (4) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-56 નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં (1) વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-28, (2) સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-42, (3) સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉંમર વર્ષ-17 અને (4) વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-07 નો સમાવેશ થાય છે.

આ દુર્ધટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.

વિશેષમાં તેમણે જણાવ્યુ હતુ કે, મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ 3મિ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.

Tags :
city bus accidentgujaratgujart newsrajkotrajkot newsRMC
Advertisement
Advertisement