રાજકોટના શખ્સની માળિયાના ખેડૂત સાથે 13.70 લાખની ઠગાઇ
04:25 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
માળીયા તાલુકાના ખીરસરા ગામે રાજકોટના એક શખ્સે ખેડૂતોનો 846 મણ કપાસ લઈ જે માલના સારા ભાવ આપવાનું કહી તે કપાસના પૈસા નહી આપી ખેડૂત સાથે 1370520 રૂૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખીરસરા ગામે રહેતા વીજયભાઈ છગનભાઇ ખાડેખા (ઉ.વ.41) એ આરોપી સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા રહે. નાના મોવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટવાળા વિરુદ્ધ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વેવાઇ સામળાભાઇ મારફતે ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદી પાસેથી કપાસ કુલ 846 મણ કપાસ જે એક મણ કપાસની કિ.રૂૂ.1620 લેખે કુલ કિ.રૂૂ.1370520/- નો માલ લઇ જે માલના સારા ભાવ અપાવવાનુ કહી તે કપાસના પૈસા નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસ ઘાત છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement