For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફના ઇન્સેન્ટિવમાં 10 ગણો વધારો

04:37 PM Jul 17, 2024 IST | Bhumika
સરકારી હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફના ઇન્સેન્ટિવમાં 10 ગણો વધારો
Advertisement

સરકારી હોસ્પિટલને મળતીPMJAYની આવકમાંથી હોસ્પિટલના ડોક્ટર, પેરા-મેડીકલ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં 10 ગણો વધારો કરવામા આવ્યો.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.

આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Advertisement

સરકારી હોસ્પિટલને મળતીPMJAYની આવકમાંથી હોસ્પિટલના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે 10થી 15 ગણો વધારો થશે. મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, અગાઉ PMJAYના કુલ લાભાર્થીઓમાં ફક્ત જઊઈઈ (ઇઙક યાદી વાળા) લાભાર્થી પેટે થતી આવક જ ઇન્સેન્ટીવ માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી હવે ઇન્સેન્ટીવ આપવા માટેPMJAYની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના 25% શેયર થશે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલમાં શેયર 35% રહેશે, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર 40% થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાંPMJAY અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેઈમના 18 ટકા ક્લેઈમ સરકારી હોસ્પિટલમાં થાય છે. આ ક્લેઈમની સંખ્યાને વધારીને એક વર્ષમાં 25 ટકા અને બે વર્ષમાં 30 ટકા ઉપર લઇ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement