રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પતિ સાથે આડા સંબંધ ધરાવતી હોવાની શંકાએ જેઠાણી સહિતનાનો દેરાણી ઉપર હુમલો

01:54 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

જસદણ તાલુકાના રામોલીયા ગામે રહેતી પરિણીતા ચોટીલાના નવાગામમાં પિતાના ઘરે આટો મારવા ગઈ હતી ત્યારે જેઠાણી સહિતના શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને પતિ સાથે આડા સંબંધ ધરાવતી હોવાની શંકાએ જેઠાણી સહિતના શખ્સોએ દેરાણી ઉપર હુમલો કરી માર માર્યો હતો સગર્ભાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના રામોલિયા ગામે રહેતી કોમલબેન હાર્દિકભાઈ મકવાણા નામની 24 વર્ષની પરિણીતા ચોટીલાના નવાગામે રહેતા પિતા પ્રવીણભાઈ મંગાભાઈ રાઠોડના ઘેર હતી ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં જેઠાણી જાગૃતીબેન અનિલભાઈ મકવાણા સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં કોમલબેન મકવાણાના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને હાલ ચાર માસનો ગર્ભ છે. બે મહિનાથી માવતરના ઘેર રોકાવા માટે આવી છે તેની જેઠાણી સહિતના શખ્સોએ આવી તું મારા પતિ સાથે કેમ વાતો કરે છે તેવી શંકા કરી માર માર્યો હોવાની કોમલબેન મકવાણાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement