ખંભાળિયામાં આવતીકાલે પાંચ કલાકનો વીજકાપ
12:43 PM Jun 11, 2024 IST | Bhumika
Advertisement
ખંભાળિયામાં પ્રી-મોન્સુન કામગીરીને અનુલક્ષીને જરૂરી રીપેરીંગના કારણોસર અહીંના 11 કે.વી. ટાઉન - 2 ફીડર વિસ્તાર હેઠળના નવાપરા, બેઠક રોડ, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધરારનગર, ભગવતી હોલ, નરશી ભુવન રોડ, દત્તાણી નગર, યોગેશ્વર નગર, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, કચોરીયા વાડી વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો આવતીકાલે બુધવારે સવારે 6:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે.
Advertisement
Advertisement