રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

11:57 AM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની હત્યા સાસરિયા પક્ષે કરી છે. તેમણે જણાવ્યું કે યુવકની પત્ની ઘણા સમયથી પિયર રહેતી હતી, જેના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર ઝઘડા થતા હતા.

Advertisement

પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મૃતક યુવકના સસરા, સાસુ અને સાળા સહિતના આરોપીઓની અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસ આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે.

Tags :
BotadBotad newscrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement