For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત

11:50 AM Sep 30, 2025 IST | Bhumika
કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત

ફીટની બીમારીના કારણે બનાવ બન્યો

Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો.

જેમાં તેને માથાના ભાગે ઇજા થઈ હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

Advertisement

આ બનાવ અંગે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલિસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement