ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્વામિનારાયણ નગરમાં મહિલા વેપારી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

05:11 PM Jul 02, 2025 IST | Bhumika
Advertisement

નકલંક પાર્ક અને એકલવ્યનગરમાં બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું

Advertisement

શહેરમાં ગોકુલધામ મેઈન રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ નગરમાં કરિયાણાના મહિલા વેપારી સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોકુલધામ મેઈન રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા લલીતાબેન પ્રાગજીભાઈ ખંભાયતા નામના 89 વર્ષના વૃદ્ધા બપોરના એકાદ વાગ્યાના અરસામાં કરિયાણાના થડે બેઠા હતાં ત્યારે ધસી આવેલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

અન્ય બનાવમાં મહિકા મેઈન રોડ ઉપર આવેલ નકલંક પાર્કમાં રહેતી પાયલબેન દિનેશભાઈ ખેતલિયા નામની પરણીતાએ બપોરના સમયે કોઈ અગમ્ય કારણસર કપડા ધોવાનું લીકવીડ પી લીધું હતું. બીજા બનાવમાં કણકોટ નજીક આવેલા એકલવ્યનગરમાં રહેતી જયશ્રીબેન કેતનભાઈ રાઠોડ નામની 20 વર્ષની પરણીતા સાંજના પાંચેક વાગ્યના સમયે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર બન્ને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement