ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત

12:52 PM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા જ્યાં એક ભાઈનું મોત નીપજ્યુ છે જ્યારે બીજાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂૂપાણી સર્કલ નજીક માં શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને છેલ્લા બે મહિનાથી સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની ધર્મશાળામાં રહી આધ્યાત્મિક જીવન જીવતાચેતનભાઇ વિનોદચંદ્ર શાહ ઉ.વ.60 તથા તેના ભાઈ મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ ઉ.વ.59 એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંને ભાઈઓને પ્રથમ શિહોર ની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ સરકારી સર. ટી .હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં ચેતનભાઇનું મોત નીપજયું હતુ જ્યારે મેહુલભાઈ ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના પાછળનું કોઇ કારણ હાલ બહાર આવેલ નથી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement