જૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલો
01:18 PM Jun 12, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હરીશ સવજી સોલંકી, નરશી રાજા સોલંકી, મનજી નરશી સોલંકી, અને દેવા નરશી સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
Advertisement
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન લાલજીભાઈ તેમજ આરોપી હરીશ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જે બનાવમાં સમાધાન કરવા માટે અને સમાધાનની ચા પીવા માટે લાલજીભાઈ અને તેના ભાઈ જયેશને બોલાવાયા હતા, ત્યાં સમાધાનની વાતો ચાલતી હતી, દરમિયાન ચારેય આરોપીઓએ ધોકા વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે તે ચારેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.
Next Article
Advertisement