ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલો

01:18 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હરીશ સવજી સોલંકી, નરશી રાજા સોલંકી, મનજી નરશી સોલંકી, અને દેવા નરશી સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન લાલજીભાઈ તેમજ આરોપી હરીશ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જે બનાવમાં સમાધાન કરવા માટે અને સમાધાનની ચા પીવા માટે લાલજીભાઈ અને તેના ભાઈ જયેશને બોલાવાયા હતા, ત્યાં સમાધાનની વાતો ચાલતી હતી, દરમિયાન ચારેય આરોપીઓએ ધોકા વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે તે ચારેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement