ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

05:08 PM Aug 11, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી પરંતુ એકલવાયા જીવનથી કંટાળી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢમા રહેતી મીનાબેન નવનીતભાઇ ચનુરા નામની 3પ વર્ષની પરણીતા રાજકોટમા હુડકો પોલીસ ચોકી સામે આવેલ કેશવ હોટલમા હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા મીનાબેન ચનુરાને પતિ નવનીત ચનુરાએ દોઢ માસ પુર્વે ઘરેથી કાઢી મુકી હતી.
બંને પુત્રો પણ ફોન કરીને તુ અમારી માતા નથી તેવા અપશબ્દો બોલતા હતા જેથી રાજકોટ આવેલી મીનાબેન ચનુરા છેલ્લા એક મહીનાથી કેશવ હોટલમા રોટલી વણી નોકરી કરતી હતી . અને પોતાનુ ગુજરાન ચલાવતી હતી પરંતુ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSsuicide
Advertisement
Next Article
Advertisement