ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલો

01:42 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સ થી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે મેમાણા ગામના નાગરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને તેના અન્ય ત્રણ સાગ્રિતોએ આવીને લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

Advertisement

ત્યારે કુલદીપસિંહ પરમાર ને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.ઇજાગ્રસ્ત યુવાન અને આરોપી વચ્ચે કાર ના વેચાણ ની એન.ઓ.સી. આપવા ના પ્રશ્ને તકરાર થઈ હતી, અને આરોપીઓ એક કારમાં ધસી આવ્યા હતા, અને છરી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે હુમલા અને હત્યા પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે.

Tags :
attackcrimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement