ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલામાં કલરકામ અધૂરૂ રહેતા શેઠે રૂપિયા પરત માંગી કારીગરને માર માર્યો

01:29 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

યુવાન બીમાર પડી જતા કામ પૂરૂ નહીં થતા હુમલો કર્યાનો આક્ષેપ

Advertisement

 

ચોટીલામા રહેતા યુવાને રૂ. પ હજારમા કલરકામ રાખ્યુ હતુ પરંતુ યુવકની તબીયત લથડતા કામ અધુરુ રહયુ હતુ.જેથી શેઠે અધુરા કામનાં 1 હજાર રૂપીયા પરત માગી કારીગર યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા આવેલી રૂદ્રભુમી સોસાયટીમા રહેતા ગુણવત નટુભાઇ મકવાણા (ઉ.વ. 40) સાથે પ્રતિક સહીતનાં શખસોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને હાથમા ફેકચર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ગુણવત મકવાણાએ હુમલાખોર શખસોને રૂપીયા પ હજારમા કલરકામ રાખ્યુ હતુ. પરંતુ યુવક બીમાર પડતા કામ અધુરુ રહયુ હતુ. જેથી હુમલાખોર શખસોએ અધુરાકામનાં રૂપીયા 1 હજારની માંગણી કરતા કારીગરે હાલ રૂપીયા નહી હોવાથી થોડા દિવસ પછી આપવાનુ કહેતા હુમલાખોરોએ યુવકને ઓફીસમા પુરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Chotilachotila newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement