સા.કુંડલા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 ઈસમોને કર્યા તડીપાર
સાવરકુંડલાના સ્ટેશનના શરીર સબંધી તથા અસામાજીક તત્વો તથા ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક 04 ઇસમો વિરૂૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી તડીપારની દરખાસ્ત તૈયાર કરી રાજુલા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.મેહુલકુમાર બરાસરા નાઓ તરફ મોકલી આપેલ આવા ભયજનક ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂૂરી જણાતાં, રાજુલા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.મેહુલકુમાર બરાસરા નાઓએ ભયજનક ઇસમ વિરૂૂધ્ધ તડીપારની દરખાસ્ત મંજુર કરી હુકમ કરતા ચારેય ઇસમોને અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ જીલ્લામાંથી તડીપાર કરવામા આવેલ છે.
તડીપાર કરેલ ઇસમોમાં મુસ્તાકભાઇ હનીફભાઇ કુરેશી રહે.રાજુલા, સલાટવાડા વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી, કનુભાઇ રાવતભાાઇ ધાખડા રહે.વાવેરા તા.રાજુલા જી.અમરેલી, રમેશભાઈ ઉકાભાઇ પરમાર રહે.ઉટીયા તા.રાજુલા જી.અમરેલી, મુખત્યારહુસૈન ગુલામહુસૈન શેખ રહે,જાફરાબાદ, લાઇટ હાઉસ રોડ, તા.જાફરાબાદ વિરૂધ્ધ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાહેબ સાવરકુંડલા ડીવીઝનના સુપરવિઝન હેઠળ રાજુલા પો.ઇન્સ એ.ડી.ચાવડા તથા વી.એમ.કોલાદરા તથા જાફરાબાદ મરીન પો.ઇન્સ ડી.એસ.ઈશરાણી તથા ડુંગર પો.ઇન્સ વી.એસ.પલાસ તથા પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહીલ તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામા આવેલ
ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં કૂતરાનો આંતક: અત્યાર સુધીમાં 300 થી વધુને કરડ્યા
ગુજરાત મિરર, ગોંડલ તા. 8-ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં રખડતા કૂતરાનો આંતક જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરતા એક વૃદ્ધ મુસાફર ને કુતરું કરડતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આસી. ટ્રાફીક ઇન્સ્પેક્ટર વિશાલ મોરે જણાવ્યું હતું કે આ કૂતરાનો આંતક છેલ્લા ઘણા સમયથી છે. આ અંગે અનેક વખત નગરપાલીકા ને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જોવામાં આવે તો બસ સ્ટેન્ડ ખાતે 300 થી વધુ મુસાફરો ને કુતરું કરડવા ના બનાવ સામે આવ્યા. નગરપાલીકા દ્વારા વહેલી તકે તેમને પકડવામાં આવે તેવુ જણાવાયું હતું.