કેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરી
01:01 PM Jul 30, 2025 IST | Bhumika
કેશોદમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાન નો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ ફેરો કરી અંદાજે 45 હજાર જેટલી રકમની રોકડ ચોરી કર્યાનું સામે આવ્યું છે.
Advertisement
આ અંગે ઘટના સ્થળે મકાન ધારક મહિલા શાકભાજીનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. વેપારના અંદાજે અઢી લાખ રૂૂપિયા લાકડાના કબાટના ખાનામાં રાખ્યા હતા જેમાંથી અંદાજે 45 હજાર રૂૂપિયાની ચોરી થયાની કબૂલાત મકાનમાં રહેતા જયશ્રી બેને કરી છે. ત્યારે આ બાબતે જયશ્રી બહેને પોલીસને જાણ કરી હતી. આ મામલે કોઈ જાણભેદ વ્યક્તિ એ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ચોરીને અંજામ અપાયો કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement