ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

SNK સ્કૂલમાં રેગિંગની ઘટના પોલીસે દબાવી દીધી!

04:58 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ત્રણ જુનિયર છાત્રાઓને સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે અનેકવાર ફરિયાદો કરી છતાં શાળા સંચાલકોએ પગલાં ભર્યા નહીં

Advertisement

શુક્રવારે ભોગ બનનાર છાત્રાઓના વાલીઓ સાથે પણ મારપીટની ઘટના બનતા પોલીસ સ્ટેશને ફરિયાદ માટે દોડી ગયેલા વાલીઓની અરજી લઈ પરત ધકેલી દેવાયા

મામલો વધુ ચગતા શનિવારે સાંજે વાલીઓને રૂબરૂ બોલાવી પોલીસે ફરિયાદી સામે બેસાડી ધરાર સમાધાન કરાવી નાખ્યું

સમગ્ર મામલો દબાવવામાં કોને ‘લાભ’ મળ્યો? પોલીસ બેડામાં પણ જાગેલી ચર્ચા, તટસ્થ તપાસ થાય તો ઘણું બધું બહાર આવવાની શક્યતા

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી હાઈ પ્રોફાઈલ સ્કૂલ એસ.એન. કે.માંગત અઠવાડિયામાં બનેલી રેગીંગની ગંભીર ઘટનાને પોલીસે અંગત રસ લઈ સમાધાન કરાવવાના નામે દબાવી દીધાનો ઘટસ્ફોટ થયો છે. લાંબા સમય સુધી સ્કૂલમાં ફરિયાદો કરવા છતાં સ્કૂલ સંચાલકોએ વાલીઓને દાદ નહીં આપતા ગત શુક્રવારે વાલીએ છાત્રા સાથે પોલીસ સ્ટેશને દોડી જઈ જુનિયર છાત્રાઓને સિનિયર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા થતા રેગીંગ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ પોલીસે માત્ર અરજી લઈ વાલીઓને પાછા ધકેલી દીધા હતાં. અને પાછળથી એક પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવી જે છાત્રોના આરોપી તરીકે નામ આપ્યા હતાં. તેના વાલીઓ સાથે બેસાડી દબાણ પૂર્વક સમાધાન કરાવી નાખ્યાનું જાણવા મળ્યું છે.
આ મામલો ગંભીર હોવા છતાં ભક્તિનગર પોલીસે ગંભીરતા નહીં દાખવી ઘટના દબાવી દેવા બારોબાર સમાધાન કરાવી અરજી પણ પાછી ખેંચાવી લીધાની હકિકત બહાર આવી છે ત્યારે આ અગે યોગ્ય તપાસ થાય તો અન્ય ઘણા ચોંકાવનારા ‘વહિવટ’ બહાર આવવાની પણ શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.

પોલીસ સ્ટેશનોમાં સીધી ફરિયાદ નોંધાવાના બદેલ માત્ર અરજી લઈ ‘પ્રેક્ટીશ’ કરવાની જે પ્રથા ચાલે છે તે આ કિસ્સામાં પણ થુયં હોવાની ચર્ચા છે. રેગીંગ પ્રથા સામે સુપ્રિમ કોર્ટ પણ કડક વલણ અપનાવે છે ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના જવાબદારોએ વિદ્યાથીઓમાં પ્રવર્તતા દુષણને ડામવાના બદલે ક્યા કારણોસર ઢાંકપીછોડો કર્યો તે તપાસનો વિષય છે.

આ મામલામાં પોલીસમાં થયેલી અરજી કોણે અને કેવી રીતે પાછી ખેંચાવી તે તપાસ થાય તો પણ ઘણી ચોંકાવનારી વિગતો ખુલવાની શક્યતા દર્શાવાય છે.સમગ્ર મામલે ધ ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ સંચાલિત સ્કૂલનો છે.
જેની યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણ જુનિયર વિદ્યાર્થીનીઓને સ્કૂલ બસમાં ધો. 11ની ત્રણ છાત્રાઓ લાંબા સમયથી ચોટલા ખેંચવા તેમજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા, ટાપલીદાવ કરવા સહિતનો શારિરીક-માનસીક ત્રાસ આપવામાં આવતો હોય, આ ઘટના અંગે સ્કૂલ સંચાલકોને અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ પગલા લેવાયેલ નહીં.

ગત શુક્રવારે ફરી સ્કૂલબસમાં આ છાત્રાઓને સિનિયર વિદ્યાર્થીનીઓએ ચોટલા ખેંચી માર માર્યો હતો આથી ભોગ બનનાર છાત્રાના માતા-પિતાએ આ બારામાં સિનિયર વિદ્યાર્થીઓના વાલીઓને ફરિયાદ કરતા તેમણે પોતાની દિકરીઓને સમજાવવાના બદલે ભોગ બનનાર બાળાના માતા-પિતા સાથે મારામારી કરી હતી. અને પોતાના ડાંગર નામના પરિવારજન પોલીસમાં હોવાનો રોફ જમાવ્યો હતો.

અંતે છાત્રાઓના વાલીઓને પોલીસનું શરણું લીધું હતું અને ગત શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈ વાલીઓને વળાવી દીધા હતાં.
આ દરમિયાન આ મામલો મીડિયામાં ચર્ચાસ્પદ બનતા ગત શનિવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીએ ફરિયાદને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતાં અને મારામારી કરનારના ઘર બતાવવા જણાવી પોતાની સાથે ફરિયાદીને આરોપીના ઘરે લઈ જઈ બન્નેને સામસામે બેસાડી સમાધાન કરાવી નાખ્યાનું બહાર આવ્યું છે.
આ ધરાર સમાધાન કરાવવામાં પોલીસને શું ‘લાભ’ મળ્યો? તે બાબત પોલીસ બેડામાં પણ ચર્ચાસ્પદ બની છે.

રેગિંગની ઘટના અંગે DEO દ્વારા ટીમની રચના કરી તપાસ સોંપાઈ
મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની ચર્ચા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલીગેલેક્સી ગ્રુપની જગઊં સ્કૂલમાં ધો. 6 માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે રેગીંગની ઘટના બની હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો હતો જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટીમની રચના કરી અને તપાસ સોંપવામાં આવી છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, એસએનકે સ્કૂલની ઘટનાની જાણ થતાં જ કચેરી દ્વારા તાત્કાલીક એક તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે. અને એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં આ તપાસ ટીમ સમગ્ર બનાવની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

આ અંગે વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, વાલીઓ તરફથી કોઈ ફરિયાદ મળી નથી પરંતુ વીડિયોના આધારે અમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એસએનકે શાળામાં તપાસ કરાશે અને જવાબદારોની પુછપરછ કરાશે ઉપરાંત વીડિયોમાં જે આક્ષેપો થયા છે તે અંગે વિદ્યિાર્થીઓનીની પણ પૂછપરછ કરવામાં આવશે એસએનકેએ જણાવ્યું હતું કે, શાળા છોડ્યયા બાદ વચ્ચે ઝઘડા થતાં હશે. વધુમાં આ ઘટનાને રેગીંગ કહી શકાય નહીં તેવું ઈન્ચાર્જ ડીઓએ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsSNK Schoolstudents
Advertisement
Advertisement