આંબેડકરનગરના યુવાન પર ખૂની હુમલો: હત્યાના પ્રયાસનો નોંધાતો ગુનો
નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં આંટો મારવા ગયેલા યુવાન પર જૂની અદાવતનો ખાર રાખી ખૂની હુમલો કરવામાં આવતા આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને સંકજામાં લેવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ,લોધીકાના પાળ ગામે અને ડ્રાઈવીંગ કરતાં સંદિપભાઈ રામજીભાઈ રાઠોડ (ઉ.વ. 31) આજે બપોરે ગોંડલ રોડ નજીક આંબેડકરનગરમાં હતા ત્યાર પાર્થ ચતુરભાઈ ગોહેલ (ઉ.વ. 31, રહે. આંબેડકરનગર શેરી નં.14)એ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાનો માલવીયાનગર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી પાર્થેને સંદિપ સાથે પાંચ વર્ષ અગાઉ ઝઘડો થયો હતો. જે બાદ સંદિપ મકાન ખાલી કરી જતો રહ્યો હતો. આ સમયે આરોપીએ તેને આ મકાન તરફ તારે આવવું નહીં અને મકાન ભુલી જજો, આ બાજુ આવશો તો જાનથી મારી નાખી તેવી ધમકી આપી હતી. દરમ્યાન આજે સંદિપભાઈ આંબેડકરનગર બાજુ આવતા આરોપી પાર્થ જોઇ જતાં જુની અદાવત રાખી તેને તને અહીં આવવાની ના પાડી છે છતાં કેમ આવ્યો છો? કહી ગાળો દઈ છરીનો એક ઘા ગળાના ભાગે અને બીજા બે ઘા હાથ પર ઝીંકી દઈ હત્યાનો પ્રયાસ કરતાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.હાલ માલવીયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી પીઆઇ જે.આર.દેસાઈ અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.