ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારમાં ટોળાનો પોલીસ પર હુમલો: 4 કર્મીને ઇજા

11:08 AM Apr 11, 2025 IST | Bhumika
Advertisement

મુઝફફરપુર જિલ્લામાં ત્રણ કિ.મી. રિવર્સ કાર ચલાવી ઇન્સ્પેકટરે બચાવ્યો જીવ

Advertisement

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ રોકાઈ રહી નથી. તાજેતરની એક ઘટનામાં, બોચાહાન પોલીસ સ્ટેશન વિસ્તારના મજૌલી ગામમાં પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના મહિલા વકીલ સોનીકુમાર પર હુમલાની ફરિયાદની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બની. ટોળાએ છત પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો અને લાકડીઓથી સજ્જ લોકોએ પોલીસકર્મીઓનો પીછો કરીને માર માર્યો.

આ હુમલામાં એસએપી (સ્પેશિયલ ઓક્ઝિલરી પોલીસ)ના જવાન સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના દરમિયાન પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું. ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓએ પોલીસ વાનમાં ચડીને રિવર્સ ગિયરમાં વાહન ચલાવીને લગભગ ત્રણ કિલોમીટર સુધી દોડવું પડ્યું. હુમલાખોરોએ એસએપી જવાનની રાઇફલ છીનવવાનો પ્રયાસ કર્યો, જેમાં ઝપાઝપી દરમિયાન રાઇફલનો ઉપરનો ભાગ તૂટી ગયો અને તે ભીડના હાથમાં આવી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ હતી.

ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એફઆઇઆર નોંધી અને હુમલાખોરોને પકડવા માટે દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં બે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસએસપી સુશીલ કુમારે જણાવ્યું કે, પોલીસને મજૌલી ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ટોળાએ અચાનક છત પરથી પથ્થરમારો શરૂૂ કર્યો, જેમાં એક જઅઙ જવાન ગંભીર રીતે ઘાયલ થયો.

Tags :
Biharbihar newscrimeindiaindia news
Advertisement
Next Article
Advertisement