For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાજીના ભૂવાને બૂટલેગર પરિવારે રહેંસી નાખ્યો, ત્રણ પુત્રો ઉપર હુમલો

04:18 PM Aug 12, 2024 IST | Bhumika
માતાજીના ભૂવાને બૂટલેગર પરિવારે રહેંસી નાખ્યો  ત્રણ પુત્રો ઉપર હુમલો
Advertisement

ઢેબર કોલોનીમાં બે દેવીપૂજક જૂથ વચ્ચે સરાજાહેર માથાકૂટમાં વાહનોમાં તોડફોડ, છ શખ્સોની ધરપકડ

મોડીરાત્રે બનેલા બનાવથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાતા પોલીસના ધાડા ઉતારી દેવાયા

Advertisement

શહેરના ઢેબર કોલોનીમાં ગઈકાલે રાત્રે બે દેવીપૂજક જૂથ વચ્ચે થયેલી માથાકુટમાં મેલડી માતાજીના ભુવાની હત્યા થઈ હતી. જ્યારે તેમના ત્રણ પુત્રોને હુમલામાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પાનની દુકાને ભાણેજને બુટલેગર સાથે થયેલ માથાકુટમાં વચ્ચે પડેલા મામા અને તેમના પુત્રો સાથે બુટલેગરે ઝઘડો કર્યા બાદ પી.ડી.માલવીયા કોલેજ નજીક બન્ને જૂથ સામે સામે આવી ગયા હતાં. જેમાં બુટલેગર જુથ દ્વારા થયેલા હુમલામાં મેલડી માતાજીના ભુવાનું મોત થયું હતું. જ્યારે તેમના ત્રણ પુત્રોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલી સર્જાતા શહેરભરની પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં. આ મામલે ભક્તિનગર પોલીસે માતાજીના ભુવાની હત્યામાં બુટલેગર સહિત 9 શખ્સો સામે ગુનો નોંધી છ શખ્સોને સકંજામાં લીધા છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનામાં રાજકોટના ઢેબરરોડ પરની ઢેબરકોલોનીમાં રહેતા વિકકી સુરેશ સોલંકીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભક્તિનગર પોલીસે ભીમા બાબુ સોંલકી,પ્રકાશ બાબુ સોલંકી, ભીમના પુત્ર શૈલેશ ભીમા સોલંકી, નીલેશ ભીમા સોલંકી તેમજ અરવિંદ જાદવ, અનીલ રણછોડભાઈ, ધનાભાઇ માવજીભાઈ અને યોગેશ માવજી ભાઈનું નામ આપ્યું છે. ભક્તિનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતાની કલમ 109(1), 118(2), 117, 118(1), 189(4) મુજબ ગુનો નોંધ્યો છે.વીકી સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વીકી અને સુરેશ સહિતના લોકો ઢેબરકોલોનીમાં રેલવે ફાટક પાસે આવેલ પાનની દુકાને ઉભા હતા ત્યારે રાજુ બાબુ સોલંકી અને લોહાનગરના રહેતા વિજય રામદાસ વચ્ચે ઝગડો ચાલતો હોય જેથી વીકી સહિતના મિત્રો ઝગડો નહી કરવા સમજાવવા ગયા હતા અને બન્નેને છુટા પડાવ્યા હતા. તેથી વીકી અને ભીમાના જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ભીમા રાજુ, પ્રતાપ, પ્રકાશ,બાબુ, તેમજ ભીમાના ત્રણ છોકરા સહીતના શખસો સાથે બોલાચાલી બાદ ત્યાંથી છુટા પડ્યા અને થોડીવાર બાદ ફરીથી મામલો બીચકયો હતો અને થોડીવાર બાદ પીડીએમ ફાટક પાસે સુરેશ દલા સોલંકી અને ભીમા રાજુના જુથ વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી.

જેમાં ભીમા રાજુ ના જુથે સુરેશ સોલંકી સહીતના પર છરી-પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ અને કેટલાંક વાહનોમાં તોડફોડ પણ થઈ હતી.આ હુમલામાં સુરેશ દલા સોલંકી, અર્જુન સુરેશ, પ્રકાશ સોલંકી વિકી સુરેશ સોલંકી સહીત પાંચને ઈજા થઈ હતી. આ બનાવ અંગેની જાણ થતા ભકિતનગર, માલવીયાનગર સહીત શહેરભરની પોલીસને ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી. જોકે પોલીસ પહોચી તે પહેલા હુમલાખોરો નાસી છુટયા હતા.હુમલામાં ધવાયેલા હુમલામાં ઘાયલ સુરેશ દલાભાઈ સોલંકીનું સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જયારે , અર્જુન સુરેશભાઈ સોલંકી, પ્રકાશ સોલંકીને સારવારમાં દાખલ છે.

મૃતક સુરેશ ત્રણભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો હતો.મૃતક સુરેશની મોટી બહેન લીલાબેન,જયાબેન છે અને તેનાથી નાના ભાઈ ભદાભાઇ અને બહેન આશાબેન અને નાનોભાઈ જેકી છે. સુરેશના મોતથી તેના પાંચ પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પોલીસે છ શખસોને સકંજામાં લઈ અન્યની શોધખોળ શરૂ કરી છે.

દશામાના વ્રતમાં મામાના ઘેર આવેલા મહેશને રાજુ સાથે માથાકૂટ થયા બાદ વાત હત્યા સુધી પહોંચી

ઢેબર કોલોનીમાં બનેલા બનાવ પાછળ સામાન્ય બાબતમાં વાત હત્યા સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઢેબર કોલોનીમાં રહેતા મેલડી માતાજીના ભુવા સુરેશ સોલંકીનો ભાણેજ લોહાનગરમાં રહેતો મહેશ દશામાના વ્રત નિમિત્તે મામાના ઘરે આવ્યો હતો ત્યારે પાનની દુકાને ભાણેજ મહેશને રાજુ સાથે સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં મામા સુરેશે વચ્ચે પડી ઝઘડો શાંત કરાવી મહેશને ત્યાંથી રવાના કરી દીધો હતો. બાદમાં સુરેશના પુત્ર વિકી અને અન્ય ભાઈઓ ત્યાં પાનની દુકાને આવી જતાં રાજુ અને વિજય રામદાસ વચ્ચે ગાળાગાળી થતાં મામલો બીચકયો હતો અને હુમલો થતાં વાત હત્યા સુધી પહોંચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement