ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

11:41 AM Apr 09, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે, અને મકાન માલિકની અટકાયત કરી છે. જેની પૂછપરછ માં બિયરનો જથ્થો ધ્રાંગધ્રા થી આયાત થયો હોવાનું કબુલતાં ત્યાંના એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કરાયો છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોગવડ ગામમાં જોશી પરા વિસ્તારમાં રહેતા અનિલ જેરામભાઈ પંચાસરા ના રહેણાક મકાનમાં બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યા છે, જે બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડી એ દરોડો પાડ્યો હતો, તે દરોડા દરમિયાન મકાનમાંથી 62 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા.

જેથી પોલીસે રૂૂપિયા 7,750 ની કિંમતના બિયરના ટીન તેમજ મોબાઇલ ફોન સહિત રૂૂ.12,700 ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક અનિલ જેરામભાઈ પંચાસરા ની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં બિયરનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ના વતની સંજય ખવાસ નામ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરેન્દ્રનગર તરફ લંબાવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement