ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-કુવાડવા રોડ ઉપરથી 72.80 લાખનો દારૂ ઝડપાયો

01:29 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

પંજાબથી 8544 બોટલ દારૂ ભરેલું ટેન્કર ભાયાવદર તરફના બુટલેગરે મંગાવ્યું હોવાનું ખુલ્યું, ડ્રાઈવરની ધરપકડ, 87.81 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

રાજકોટ અમદાવાદ હાઈ-વે પર કુવાડવા ચોકડી પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પંજાબથી 8544 બોટલ વિદેશી દારૂ ભરીને ભાયાવદર તરફ જતાં ટેન્કરને ઝડપી પાડી 72.80 લાખના દારૂ સહિત રૂા.87.91 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. પુછપરછમાં આ દારૂનો જથ્થો પંજાબથી મોકલવામાં આવ્યો હોય અને આ મામલે રાહુલ નામના શખ્સનું નામ ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ, રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી પાસે શ્રીરામ સ્ટીલ નામની દુકાન પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે.20 વી.4979 નંબરનું ટેન્કર ત્યાંથી પસાર થતાં તેને અટકાવવામાં આવ્યું હતું. આ ટેન્કરમાં તલાસી લેતાં ટેન્કરમાંથી અલગ અલગ બ્રાંડના વિદેશી દારૂના બોકસ મળી આવ્યા હતાં. ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતાં ટેન્કરમાંથી રૂા.72.80 લાખની કિંમતની 8544 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ સાથે ટેન્કરનાં ચાલક મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના શ્રીરામવાલા ગામના પારસકુમાર ઉર્ફે વિકાસ અમેદારામ પોટલીયાની ધરપકડ કરી હતી. ટેન્કર તથા દારૂ સહિત રૂા.87.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પુછપરછમાં ટેન્કર ચાલકે જણાવ્યું કે આ દારૂનો જથ્થો પંજાબથી ભરી દેવામાં આવ્યો હતો અને રાહુલ નામનો વ્યક્તિ જે વોટસએપ કોલ પર વાત કરતો હતો તેણે આ દારૂ રાજકોટના ભાયાવદર ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું જેના આધારે આ દારૂનો જથ્થો કયાં પહોંચાડવાનો હતો ? તે અંગેની માહિતી રાહુલ જણાવવાનો હતો. તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચની ટીમે આ દારૂ ઝડપી પાડયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ટેન્કરના માલીક જામનગરના ખાવડીમાં રહેતા જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે. ટેન્કર ચાલકને આ દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સ અને રાહુલ સહિતનાઓની ક્રાઈમ બ્રાંચની ટીમે શોધખોળ શરૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની સુચનાથી પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના દિપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, રાજેશભાઈ જડુ, જયદેવસિંહ પરમાર, અમીતભાઈ અગ્રાવત, મયુરભાઈ મિયાત્રા, સંજયભાઈ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઈ કોટીલા, વિશાલભાઈ દવે અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement