ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 1.31 કરોડનો દારૂ ઝડપાયો

04:34 PM May 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બુટભવાની પેટ્રોલ પંપ નજીક સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ પાસે આવેલી દર્શન હોટલ પાસે એક ટેન્કરમા દારૂનો જથ્થો ભર્યો હોવાની બાતમીનાં આધારે ગાંધીનગરની એસએમસીની ટીમે દરોડો પાડી ટેન્કરમાથી કુલ રૂ. 1.31 કરોડની 24630 જેટલી બોટલ કબજે કરવામા આવી હતી. દારૂનાં જથ્થા સાથે બે રાજસ્થાનીને પકડી લેવામા આવ્યા છે અને આ દારૂનો જથ્થો પંજાબથી કચ્છ-મુન્દ્રા તરફ જતો હોવાનુ પકડાયેલા બંને શખસોએ કબુલ્યુ હતુ .

Advertisement

વધુ વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલનાં ડીવાયએસપી કે. ટી. કામરીયાનાં માર્ગદર્શન હેઠળ એસએમસીનાં પીએસઆઇ ડી. પી. ભાટી સહીતનો સ્ટાફ રાજકોટ-અમદાવાદ હાઇવે પર પેટ્રોલીંગમા હતો ત્યારે ચોકકસ બાતમી મળી કે સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ નજીક આવેલી દર્શન હોટલ પાસે ઉભેલા એક ટેન્કરમા દારૂનો મોટો જથ્થો છે અને આ ટેન્કર કચ્છ તરફ જવાની છે . જેથી પીએસઆઇ ભાટી અને તેમની ટીમે ટેન્કરને અટકાવી તેમા તલાસી લેતા ટેન્કરમાથી અલગ અલગ દારૂની બોટલ અને ટીન રૂ. 1.31 કરોડની બોટલ 24630 કબજે કરવામા આવી હતી.

જયારે આ ટેન્કર સાથે પકડાયેલા શખસોનાં નામ પુછતા બંને શખસ રાજસ્થાનનાં રહેવાસી હોવાનુ અને બંનેનાં નામ ચિત્રરામ નારાયણરામ જાટ (ચૌધરી) અને મુળ ભોગજી તા. બૈતુ જી. બાડમેર અને મંગીલાલ તેજારામ શાહુ (ચૌધરી) રહે. બેનીવાલોની ધાની, તા. બૈતુ, જી. બાડમેર, રાજસ્થાન હોવાનુ જણાવ્યુ હતુ. જયારે બંનેની પુછપરછ દરમ્યાન દારૂનો જથ્થો પંજાબથી અનીલ પંડયા નામના શખસે દારૂનો જથ્થો મોકલ્યો હતો . અને આ દારૂનો જથ્થો કચ્છનાં મુન્દ્રા ખાતે લઇ જવાનો હતો. હાલ અનીલ પંડયા સહીત ત્રણ વ્યકિતને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Advertisement