ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાયકવાડીની સગીરા ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધાયો

04:38 PM Jun 24, 2025 IST | Bhumika
Advertisement

શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા ભેદી રીતે ગુમ થઇ જતાં પ્રનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે. પિતાના ઘરે રોકાવા ગયેલી સગીરા રાત્રે દાદી સાથે સુતા બાદ સવારે નહિ મળી આવતા માતાએ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.

Advertisement

મૂળ પોરબંદર જિલ્લાના વતની અને હાલ ગાયકવાડી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, હાલ હું મારા બહેનના ઘરે આશરે આઠેક વર્ષથી રીશામણે છું. મારે સંતાનમાં 14 વર્ષ 6 માસની એક દિકરી અને 13 વર્ષનો દીકરો છે. હું તથા મારા પતિ બંન્ને અલગ રહીએ છીએ.
મારા પતિ ગાયકવાડીમાં રહે છે. આશરે બે મહીના પહેલા મારી દિકરી પતિને ત્યાં રોકાવા ગયેલ હતી. ગત રાત્રે સગીરા તેના દાદી સાથે સુતા બાદ સવારે ઘરમાં ન હોય જેથી ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો નહીં લાગતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement