ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો

11:45 AM Dec 13, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કે.પી.ઈ.એસ. કોલેજની પાછળના ભાગે રહેતા યુવાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કૃણાલ ભટ્ટ પાસેથી રૂા.20,000/-20 ટકાના વ્યાજે લીધા હતા અને ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૂ.40,000/- પરત આપી દીધા હોવા છતાં તેની પાસે વધુ રૂા.20,000/- ની પઠાણી ઉઘરાણી કરતા હતા.

ગઈકાલે યુવરાજસિંહ ગોહિલ તેના મિત્ર સાથે સરદારનગર વિસ્તારમાં બેઠા હતા ત્યારે સંદીપ બાબરીયા એ ફોન કર્યા બાદ કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ બાઈક ઉપર આવ્યા હતા અને રૂા.20,000/- ની ઉઘરાણી કરી સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને ધમકી આપી જતા રહ્યા હતા.

આ બનાવ અંગે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement