ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નવયુગપરામાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો

04:17 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં સોરઠીયા પ્લોટમાં રહેતો યુવાન નવયુગપરામાં પોતાના મિત્રના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો ત્યારે બે શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટમાં રહેતા મયુર માવજીભાઈ પારીયા નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં નવયુગપરામાં હતો ત્યારે ભાવિન વાઘેલા અને કુણાલ નામના શખ્સે છરી વડે હુમલો કરી સાયકલ ઘા કર્યો હતો. હુમલામાં ઘવાયેલા મયુર પારીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મયુરના મિત્ર વિનોદ ચાંડપાને હુમલાખોર કુણાલ સાથે ઝઘડો થતા મયુર પારીયા મિત્રના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો ત્યારે બંને શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલી તિરૂૂપતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સુદામણી દફાદરમણી માજી નામના 36 વર્ષના યુવક સાથે અન્ય ભાડુઆતે નાહવા મુદ્દે ઝઘડો કર્યો હતો અને ઝઘડામાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
attackedgujaratgujarat newsNavayugapararajkotrajkot news
Advertisement
Next Article
Advertisement