For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં પ્રેમસંબંધ મામલે અપહરણ કરી યુવાનની હત્યાના ગુનામાં 11 આરોપી ઝડપાયા

11:21 AM Oct 14, 2024 IST | Bhumika
મોરબીમાં પ્રેમસંબંધ મામલે અપહરણ કરી યુવાનની હત્યાના ગુનામાં 11 આરોપી ઝડપાયા
Advertisement

મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા નીપજાવવામાં આવી હોય જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં તમામ 11 આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરષોતમ માનેવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 11 ના રાત્રીના સુમારે ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે ર આવીને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી રીક્ષામાં આવી અપહરણ કરી બેલા રોડ પર લઇ જઈને ધોકા જેવા હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાઈ વિજય ઉર્ફે રવિની હત્યા કરી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે. હત્યાના ગુનામાં બી ડીવીઝન પોલીસે આરોપીઓ હરખજી ઉર્ફે હકો જીવન અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, વિશાલ ગાંડુભાઈ બાવરવા, જયેશ જીવનભાઈ અદગામા, કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદગામા, સીયારામ ગનેશ યાદવ, મનીષ અશોકભાઈ દંતેસરીયા, મેરૂૂ ભરતભાઈ કરોતરા, કિશોર ઉર્ફે કીશલો લાભુભાઈ વાઘેલા, સુનીલ જયંતીભાઈ જોગડીયા અને પ્રવીણ ઉર્ફે ઉગો જગમાલભાઈ અદગામા એમ 11 આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement